Gd on manmohan singh biography in gujarati
Manmohan Singh Death: ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ' ડો. મનમોહન સિંહની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Manmohan Singh Biography: 92 વર્ષની વયે ભારતના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું નિધન થયું છે. ભારતીય રાજનીતિ અને આર્થિક સુધારામાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. 1991માં ભારતીય અર્થવ્યવસ્થાને ઉદારીકરણના માર્ગ પર લઈ જનાર ડો. મનમોહન સિંહનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમણે બે કાર્યકાળ (2004-2014) સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ક્યાથી કર્યો અભ્યાસ, કેવુ રહ્યું હતું પ્રારંભિક જીવન
ડો. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતમાં (હવે પાકિસ્તાનમાં) થયો હતો. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પછી 14 વર્ષની ઉંમરે તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. તેઓ નાનપણથી જ શિક્ષણ પ્રત્યે ઝુકાવ ધરાવતા હતા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં